
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ સેનામાં સેવાઓ આપનાર અને શહીદ થનાર આશરે 10,000 ભારતીય સૈનિકોને પ્રથમ વખત સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે. કોમનવેલ્થ વોર કેઝ્યુલ્ટી રેકોર્ડમાં છેલ્લા 80 વર્ષોમાં આ સૌથી મોટો સુધારો હોવાનું કહેવાય છે.
ગો ધાર્મિક દ્વારા લૂટન ટાઉન અને ઈન્ડિયન્સ ક્રિકેટ ક્લબ ખાતે બાળકો અને માનવતાવાદી પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરવા સ્પેશિયલ ચેરિટી ક્રિકેટ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિકેટ, અનુકંપા અને કોમ્યુનિટીના આ ઈવેન્ટમાં ભારતીય બોલીવૂડ અભિનેતા...
રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે તેમના પર મૂકાયેલા આરોપ મધ્યે ક્લેક્ટનના સાંસદપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે જેનાથી આ બેઠક પર પેટાચૂંટણી અનિવાર્ય બનશે. પોતાના રાજકીય ભવિષ્યને બચાવવા માટે તેઓ પોતે જ આ પેટાચૂંટણીમાં ફરીથી ઉમેદવારી નોંધાવશે.
અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. હિતેશભાઇ સુથાર, પત્ની હીનાબહેન...
ભારતના અમદાવાદમાં યોજાએલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના કિસુમુના ડો. કલ્પના કારીઆનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 4થી 8જૂન દરમિયાન યોજાએલી ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. વર્લ્ડ...
ભાજપના ટોચના વ્યૂહરચનાકારો પક્ષનું અને દેશનું રાજકીય ચિત્ર બદલવાના કામે લાગી ગયા છે. હવે તેમનું લક્ષ્ય છે લોકસભામાં 360નો આંકડો હાંસલ કરવાનું. આમ તો પક્ષના વ્યૂહરચનાકારો ગત 17 એપ્રિલના રોજ એનડીએને સંસદમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલ...
રામ મંદિરમાં દાન ચોરીને કારણે વિવાદના વમળમાં ઘેરાયેલા મંદિરના ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાનું રાજીનામું અંતે સ્વીકારી લેવામાં આવ્યું છે. જ્યારે ચંપત રાયના સ્થાને ટ્રસ્ટનું સુકાન ટ્રસ્ટી કૃષ્ણ મોહનને આપવામાં આવ્યું છે....
ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં ભક્તો દ્વારા ચઢાવાતા વાળ હવે તિરુમાલા મંદિર માટે ‘બ્લેક ગોલ્ડ’ સાબિત થઈ રહ્યા છે. મે 2026 માં તિરુમાલા ખાતે વાળ દાનમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. ફક્ત 27 દિવસમાં, 12.43 લાખથી વધુ ભક્તોએ ભગવાનને પોતાના વાળ...
આગામી દિવસોમાં દેશમાં અને વિદેશમાં એર ટ્રાવેલ મોંઘુ થઈ શકે છે. વૈશ્વિક કન્સલ્ટન્સી ફર્મ મેકકિન્સેના રિપોર્ટના અનુસાર, મિડલ ઇસ્ટમાં તણાવ અને રિફાઇનરીઓની મર્યાદિત ક્ષમતાને કારણે એવિએશન ફ્યુલના શુદ્ધિકરણનો ખર્ચ બમણો થઈ શકે છે. જેના કારણે આગામી...
બોલિવૂડમાં ‘મિસ્ટર પરફેક્ટનિસ્ટ’ તરીકે ઓળખાતા આમિર ખાને (61) ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ (47) સાથે ઘરસંસાર માંડ્યો છે. આમિરનાં આ ત્રીજી વારનાં જ્યારે ગૌરી સ્પ્રેટના આ બીજી વારનાં લગ્ન છે. મુંબઇમાં પાલી હિલ સ્થિત આમિરના નિવાસસ્થાને સાદા સમારંભમાં...
ભારતીય સિનેમાની વિશ્વસ્તરે વધુ એક મહત્વની નોંધ લેવાઈ છે. ફિલ્મમેકર, લેખક અને સંગીતકાર વિશાલ ભારદ્વાજ તેમજ જાણીતા કોસ્ચ્યુમ ડિઝાઇનર એકા લાખાણીને વર્ષ 2026 માટે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસ (AMPAS) દ્વારા સભ્યપદ માટે આમંત્રણ આપવામાં...
અમેરિકાના પેન્સિલવેનિયા સ્ટેટના વેન કાઉન્ટીની વુસ્ટર ટાઉનશિપમાં આવેલી ઈકોનો લોજ હોટેલમાં મધરાત્રે ફાટી નીકળેલી ભીષણ આગમાં મૂળ નડિયાદના પીજ ભાગોળ વિસ્તારના વતની એવા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે. હિતેશભાઇ સુથાર, પત્ની હીનાબહેન...
યુએસએમાં કેલિફોર્નિયાના સાન્ટા ક્લેરા ખાતે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના આઠમા શોરૂમનું ઉદ્ઘાટન સાન ફ્રાન્સિસ્કોમાં ઈન્ડિયન કોન્સ્યુલેટના કોન્સલ જનરલ ડો. કે. શ્રીકાર રેડ્ડીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમન્ડ્સના MD- ઈન્ટરનેશનલ...
ટીમ ઈન્ડિયાની સ્ટાર મહિલા બેટર અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ‘ટાઇમ’ મેગેઝિને તેને વર્ષ 2026ની 100 સૌથી પ્રભાવશાળી ખેલ હસ્તીઓની યાદીમાં સ્થાન આપ્યું છે, અને સ્મૃતિ આ યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે....
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરાઇ છે. મુંબઈ ખાતે ચીફ સિલેક્ટર અજિત અગરકરના વડપણ હેઠળ સિનિયર મેન્સ સિલેક્શન કમિટીની મળેલી બેઠકમાં સુર્યકુમારના...
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક સરાહનીય અને પ્રેરણાદાયી નિર્ણય લેવાયો છે. સરદાર પટેલ યુનિવર્સિટીના બેચલર ઓફ એજ્યુકેશન અભ્યાસક્રમની એક્સટર્નલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં...
ડેનહામ સ્થિત અનુપમ મિશન ખાતે રવિવારે ‘સંવાદિતા’ વિષય પર પ.પૂ. સંતભગવંત સાહેબજીની પ્રેરણાથી વિચારગોષ્ઠિ યોજાઈ હતી, જેમાં યુકેના હિન્દુ સમાજની એકતા, પ્રતિનિધિત્વ, ધાર્મિક શિક્ષણ, સામાજિક સહકાર અને ભાવિ પેઢીમાં સંસ્કારોના સિંચન જેવા મહત્વના વિષયો...
ઉનાળાના દિવસો અબાલવૃદ્ધ સહુકોઇ માટે આકરા સાબિત થતા હોય છે. વળી, આ વર્ષે તો ઉનાળાના આરંભે જ અંગદઝાડતી ગરમીએ લોકોને રાડ પડાવી દીધી છે. હિટવેવમાં બ્રિટન સહિત સમગ્ર યુરોપ લપેટાયું હતું. આ માહોલમાં આરોગ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે, અને આરોગ્ય સંભાળનું...
માનવશરીરમાં સૌથી મજબૂત સ્નાયુ હોવાનો દાવો અનેક સ્નાયુઓ કરી શકે તેમ છે, જેનો આધાર તમે તાકાતની માપણી કેવી રીતે કરો છો તેના પર છે. તમે કડક સફરજનનું બટકું તોડો છો ત્યારે તમારા જડબાનાં સ્નાયુ ફળનો કચ્ચરઘાણ કરવામાં દાંતને મદદ કરે છે. તમે જ્યારે સીડીઓ...
બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો પ્રયોગ કરીને સ્વદેશ પાછા ફર્યા ત્યારે શું કરવું, કઈ રીતે કરવું તેની દ્વિધા હતી એટલે પૂણે ગયા. ગોપાલકૃષ્ણ ગોખલે તે સમયના ખ્યાત નેતા, તેમને મળ્યા. ગોખલે પાસે યુવા વકીલ મોહનદાસ કરમચંદ...
અષાઢી સુદ બીજ એટલે એ દિવસ કે જ્યારે સ્વયં ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યા માટે નીકળે. અષાઢી સુદ બીજ એટલે ધરતીપુત્રોને અપાર ખુશી અપાવતી વર્ષાઋતુનો પ્રારંભ. અને અષાઢી સુદ બીજ એટલે કચ્છી પરંપરા મુજબ અનેક સંભાવનાઓ લાવતાં નવાં વર્ષની શરૂઆત. અષાઢી...