ભારતના માંડવે AIનો મહાકુંભ

તીર્થરાજ પ્રયાગરાજમાં મહાશિવરાત્રી પર્વે માઘ મેળાની પૂર્ણાહૂતિ થઇ છે ત્યારે પાટનગરમાં ભારતની આન-બાન-શાનના ત્રિવેણીસંગમ સમાન ભારત મંડપમમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) મહાકુંભનો પ્રારંભ થયો છે. સર્વજન હિતાય, સર્વજન સુખાયની થીમ સાથે યોજાયેલી વિશ્વની સૌથી મોટી AI ઇમ્પેક્ટ સમિટને ખુલ્લી મૂકતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે AI પર ચર્ચા કરવા માટે વિશ્વને એકસાથે લાવવું એ સમયની માગ છે.

સાઉથ ઇસ્ટની ડ્રગ ગેંગના ઉમેર ઇકબાલને 20 વર્ષ અને હેરિસ શેખને 22 મહિનાની કેદ

સાઉથ ઇસ્ટ રિજિયોનલ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ યુનિટ દ્વારા કરાયેલી તપાસ બાદ રીડિંગ ક્રાઉન કોર્ટે સ્લાઉના ઉમેર ઇકબાલને કોકેનના વેપાર માટે 20 વર્ષ, અક્સબ્રિજના હેરિસ શેખને ગાંજાના વેપાર માટે 22 મહિના કેદની સજા ફટકારી હતી. 

વૂલ્વરહેમ્પટનના ગુરપ્રીત રંધાવાને સગીરાઓ પર બળાત્કાર સબબ 18 વર્ષની કેદ

ઓનલાઇન મુલાકાત બાદ 15 વર્ષીય બે સગીરાઓ પર બળાત્કાર અને એક 12 વર્ષીય સગીરા અશ્લિલ તસવીરો શેયર કરવા માટે વૂલ્વરહેમ્પટન ક્રાઉન કોર્ટે વેલિંગ્ટન રોડના 21 વર્ષીય ગુરપ્રીત રંધાવાને 18 વર્ષ જેલની સજા ફટકારી હતી.

મોખાસણમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પક્ષીઘર અને સરદાર પ્રતિમાનું લોકાર્પણ

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્યઆચાર્ય પ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપા તથા પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પ.પૂ. જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી મોખાસણ ખાતે રૂ. 1.25 કરોડના સાકાર થયેલા ‘શ્રી...

SGVP ગુરુકૂળના વિદ્યાર્થીઓનું માઘ સ્નાન

હિન્દુ શાસ્ત્રોમાં માઘ સ્નાનનો અનેરો મહિમા છે. સામાન્ય રીતે ગંગાજી, યમુનાજી વગેરે નદી કે તળાવ કે સમુદ્ર નજીક હોય તો લોકો વહેલી સવારે માઘ સ્નાન કરતા હોય છે. 

ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે ‘ભારત-વિસ્તાર’ એપ

કૃષિ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિનો આવિષ્કાર કરનાર ભારત દ્વારા મંગળવારે નવો ઈતિહાસ રચાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ‘ભારત-વિસ્તાર’ (Bharat-VISTAAR) નામનું એક ક્રાંતિકારી AI પાવર્ડ બહુભાષીય ટૂલ લોન્ચ કર્યું છે. આ ટુલ ખેડૂતોને ડિજિટલ ટેકનિક સાથે જોડવાની...

એઆઇમાં મહાશક્તિ બનવા ભારતની આગેકૂચઃ ઓલ્ટમેન

એઆઈ સમિટમાં હાજરી આપતા પહેલાં ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેને જણાવ્યું કે, ભારતમાં ઝડપથી એઆઈનો ઉપયોગ વધી રહ્યો છે. દેશમાં એઆઈના 10 કરોડથી વધુ સાપ્તાહિક સક્રિય વપરાશકારો છે, જે અમેરિકા પછી દુનિયામાં બીજો સૌથી મોટો આંકડો છે.

ભારત વિશ્વની સફળ ઇકોનોમી, AI સમિટ માટે એકદમ યોગ્ય અને સાચું સ્થળઃ યુએન સેક્રેટરી જનરલ

યુએનનાં સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસે ભારતની ઝડપથી વિકાસ પામતી ઈકોનોમીનાં ભરપેટ વખાણ કર્યા છે તેમણે કહ્યું કે ભારત વિશ્વની એક સફળ ઊભરતી ઈકોનોમી છે. 

ભારત વૈશ્વિક તખતે ચીનનો મજબૂત વિકલ્પ બનીને ઉભરશે

18 ટકાનો અમેરિકન ટેરિફ ચીન પર લદાયેલા ટેરિફથી અડધો છે. અન્ય હરીફ એશિયન દેશોથી પણ ઓછો છે. ભારત-ઇયુ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) બાદ થયેલી અમેરિકા સાથેની આ ડીલ તેમજ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ / વ્યાપારિક જૂથો સાથે થયેલી 20થી વધુ ટ્રેડ ડીલના...

‘ધ બીટલ્સ’ કેન્દ્રીત ફિલ્મમાં ફરહાન અખ્તર બનશે ભારતરત્ન પંડિત રવિ શંકર

ફરહાન અખ્તર હોલિવૂડમાં પોતાની ફિલ્મી શરૂઆત કરવા જઈ રહ્યો છે. તે સેમ મેન્ડિસ દિગ્દર્શિત ‘ધ બીટલ્સઃ અ ફોર-ફિલ્મ સિનેમેટિક ઈવેન્ટ’માં મહાન સિતારવાદક અને સંગીતકાર ભારતરત્ન પંડિત રવિ શંકરની ભૂમિકા નિભાવશે.

સાત પેઢી યાદ રાખે તેવા હાલ કરશુંઃ રણવીર અને રોહિત શેટ્ટી ફરી ધમકી

લોરેન્સ બિશ્નોઇ ગેંગ બોલિવૂડ નિર્માતાઓ અને સ્ટાર્સ પાછળ હાથ ધોઇને પડી ગઇ હોય તેમ બિશ્નોઇ ગેંગના શાર્પ શૂટર હેરી બોક્સરે અભિનેતા રણવીર સિંહ અને નિર્માતા રોહિત શેટ્ટીને નિશાન બનાવતી નવી ઓડિયોક્લિપ બહાર પાડી છે. ગેંગસ્ટરે આવું રેકોર્ડિંગ ત્રીજી...

એપસ્ટીને આત્મહત્યા નથી કરી, ગળામાં ફ્રેક્ચર હત્યાનો સંકેતઃ ડોક્ટરનો દાવો

યૌન અપરાધોના આરોપી અમેરિકી ફાઈનાન્સર જેફ્રી એપસ્ટીનના મોતની ફરીથી તપાસ થવી જોઈએ તેવો દાવો પેથોલોજિસ્ટ માઈકલ બેડેને કર્યો છે. એપ્સ્ટીનના પોસ્ટમોર્ટમ વખતે હાજર બેડેને એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેમના મતે એપસ્ટીનનું મોત ‘ફાંસી લગાવી...

જ્હાન્વી કંડુલાના પરિવારને રૂ. 262 કરોડ વળતર મળશે

અમેરિકાના સિએટલ શહેરમાં ભારતીય વિદ્યાર્થિની જ્હાનવી કંડુલાના દર્દનાક મોતના મામલામાં તંત્રે એક મહત્વનો નિર્ણય લેવાયો છે. સિએટલ સિટી એડમિન્સ્ટ્રેશને જ્હાન્વીના પરિવારને વળતર તરીકે 2.9 કરોડ ડોલર (આશરે 262 કરોડ રૂપિયા) આપવા સંમત થયું છે.

બાબર, શાદાબ ને શાહીનને પડતા મુકોઃ શાહીદ આફ્રિદી

ભારત સામેની 61 રને થયેલી કારમી હાર બાદ પાકિસ્તાની ક્રિકેટ જગતમાં ભારે આક્રોશ અને નિરાશા જોવા મળી રહી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓએ સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો પર વર્તમાન ટીમની આકરી ટીકા કરી છે.

ટી20 વર્લ્ડકપઃ પાકિસ્તાનનો ભારત સામે ઐતિહાસિક ધબડકો

ટી20 વર્લ્ડ કપમાં ફરી એક વખત પાકિસ્તાનનો ભારત સામે ધબડકો થયો છે, પરંતુ આ વખતની તેની શરણાગતિ ઐતિહાસિક હતી. કોલંબોની સ્પિન પિચ પર 176 રનનો લક્ષ્યાંક ચેઝ કરતા પાક. માત્ર 114 રનમાં સમેટાયું હતું અને 61 રનનાં અંતરથી હાર્યું. ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનનો...

કેદારનાથનાં કપાટ 22 એપ્રિલે તો બદરીનાથનાં કપાટ 23 એપ્રિલે ખૂલશે

ઉત્તરાખંડનાં ગઢવાલ હિમાલયમાં આવેલા ચારધામ યાત્રા પૈકીનાં કેદારનાથ ધામનાં કપાટ 22મી એપ્રિલે ભક્તો માટે દર્શનાર્થે ખોલવામાં આવશે તેમ ઉત્તરાખડનાં મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ જણાવ્યું હતું. શિયાળામાં આશરે 6 મહિના સુધી કેદારનાથનાં કપાટ બંધ રાખવામાં...

પૂ. મહંત સ્વામી મહારાજનું ચાણસદ વિચરણ

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજે વડોદરા વિચરણ દરમિયાન 13 ફેબ્રુઆરીએ પ.પૂ. પ્રમુખ સ્વામીના જન્મસ્થાન ચાણસદ ખાતે પધરામણી કરી છે. 

આશાવાદનો તંદુરસ્ત ડોઝ લો અને બીમાર પડવાથી દૂર રહો

વિધેયાત્મક વિચારસરણી નૈતિકતા માટે સારી જ ગણાય છે, પરંતુ તમારી ઈમ્યુન સિસ્ટમ-રોગપ્રતિરોધક સિસ્ટમ માટે પણ તે વરદાન બની શકે છે. હવે તો સંશોધનો પણ તેને સમર્થન આપે છે. તેલ અવિવ યુનિવર્સિટીના ડો. નિટ્ઝાન લુબિઆનીકેરની રાહબરી હેઠળના સંશોધનોમાં સ્થાપિત...

હેલ્થ ટિપ્સઃ બીમારીના ડરથી ટેસ્ટ ટાળો નહીં, તેને પડકાર તરીકે જૂઓ

ચેતતા નર સદા સુખી આ ઉક્તિ મેડિકલ ટેસ્ટને એકદમ લાગુ પડે છે. જો સમયસર નિદાન થઇ જાય તો તેનો ઉપચાર પણ થઇ શકે. પરંતુ એક વર્ગ એવો પણ છે જે મેડિકલ ટેસ્ટથી ડરે છે. તેમના મનમાં ખરાબ સમાચાર મળવાનો ડર રહે છે. પરિણામે તેઓ બ્લડ ટેસ્ટ, કેન્સર સ્ક્રીનિંગ,...

પાડોશમાં નવનિયુક્ત સરકારથી ભારત પર શું અસર થશે?

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ને પ્રચંડ બહુમતી મળી ગઈ છે. તેના નેતા તારિક રહેમાન વડાપ્રધાન બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાન અને તેઓની પાર્ટીને ભવ્ય જીત અંગે વધાઈ આપી દીધી છે. ભારત માટે આ ચૂંટણી અને તેમાં બીએનપીને મળેલ બહુમતી...

આનંદ એ જ પરમાનંદ

જીવનમાં આનંદ હોવો જરૂરી છે. તેનું મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં પૌરાણિકકાળથી સ્થાપિત થયું છે. એટલા માટે જ તો કેટલાય સંતો પોતાના નામ પાછળ જ આનંદ લગાડે છે, જેમ કે: ચિન્મયાનંદ, દયાનંદ, મુક્તાનંદ, સહજાનંદ વગેરે. અમેરિકન બંધારણમાં પર્સ્યુટ ઓફ હેપિનેસને...

તા. 21 ફેબ્રુઆરી 2026થી 27 ફેબ્રુઆરી 2026 સુધી

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

તા. 14 ફેબ્રુઆરી 2026થી 20 ફેબ્રુઆરી 2026 સુધી

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...



to the free, weekly Gujarat Samachar email newsletter