ડાયરાને ભીખુદાન ગઢવીના રામ... રામ...

Wednesday 12th February 2025 04:59 EST
 
 

જૂનાગઢઃ ગુજરાતી લોક સાહિત્યને વિશ્વભરમાં ફેલાવનારા પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ ઉંમરને કારણે સ્ટેજ કાર્યક્રમને અલવિદા કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી તેમના ચાહકોએ આંચકો અનુભવ્યો છે.
પદ્મશ્રી ભીખુભાઈ ગઢવીએ જણાવ્યું કે, કેશોદના માણેકવાડા ખાતે મારો જન્મ થયો હતો. 20 વર્ષની ઉંમરથી સ્ટેજ કાર્યક્રમ શરૂ કર્યા હતા. 78 વર્ષની ઉંમરે દેશ-વિદેશમાં અસંખ્ય કાર્યક્રમો કર્યા છે. 57 વર્ષના સાહિત્ય સંગ્રામમાં કરોડો લોકોનાં દિલ જીત્યાં છે. હવે ઉંમરને કારણે યાદશક્તિ મંદ પડતાં સ્ટેજ કાર્યક્રમને અલવિદા કરવાનો નિર્ણય કર્યો છે.


comments powered by Disqus