જાતિવાદની પરાકાષ્ઠાઃ દલિત વકીલને વરઘોડો ન કાઢવા ધમકી

Wednesday 19th February 2025 04:43 EST
 
 

પાલનપુરઃ આઝાદીને 78 વર્ષે પણ દેશમાં ક્રૂર જાતિવાદી વ્યવસ્થા દૂર થઈ શકી નથી. જેનું ઉદાહરણ તાજેતરમાં બનાસકાંઠામાં પાલનપુરના ગાદલવાડા ગામે સામે આવ્યું.
ગાદલવાડાના દલિત એડવોકેટ મૂકેશ પરેચાને તેમના લગ્નમાં વરઘોડો ન કાઢવા માટે ધમકી અપાતાં 200 પોલીસ જવાનની સુરક્ષા સાથે પોતાના લગ્નનો વરઘોડો કાઢવો પડ્યો હતો, છતાં કાંકરીચાળો થતાં સ્થાનિક ગઢ પોલીસ સ્ટેશનના પીઆઇ વસાવા જાતે જ કાર ડ્રાઇવ કરીને વરરાજાને લગ્ન સ્થળ સુધી સલામત રીતે લઈ ગયા. આ કારમાં પાછળ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ બેઠા હતા.


comments powered by Disqus