આદિત્ય પંચોલીની ધરપકડ બાદ જામીન પર છૂટકારો

Monday 09th March 2015 06:19 EDT
 
 

આદિત્ય પંચોલી ઘણીવાર વિવાદોમાં સપડાતો રહે છે. ગત સપ્તાહે તેણે મુંબઈની એક ફાઇવસ્ટાર હોટેલમાં મારામારી કરી હતી, જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી. આદિત્યએ આ હોટેલમાં ચાલી રહેલાં અંગ્રેજી ગીતને બંધ કરી હિન્દી ગીત વગાડવાની રજૂઆત કરી હતી, તેની રજૂઆત બાદ હોટેલના બાઉન્સરોએ પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે તેને સમજાવીને શાંતિથી પબમાં મજા માણવા જણાવ્યું પણ તેણે બાઉન્સરોની વાત ન માનતાં તેમના ઉપર પોતાના મોબાઈલથી હુમલો કર્યો હતો, તેણે બાઉન્સર સાથે કરેલી ઝપાઝપીમાં એક બાઉન્સરને માથામાં ગંભીર ઈજા પહોંચતા વાત પોલીસ સુધી પહોંચી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આદિત્યની ધરપકડ કરી હતો. જોકે પછી આદિત્ય પંચોલીને જામીન પર છોડવામાં આવ્યો હતો. અગાઉ તેનો દીકરો પણ એક આત્મહત્યા કેસમાં વિવાદમાં સપડાયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter