ઊર્મિલા માતોંડકર પણ છૂટાછેડાના માર્ગે

Thursday 03rd October 2024 11:40 EDT
 
 

વધુ એક બોલિવૂડ સેલિબ્રિટી લગ્નસંબંધોમાંથી બહાર નીકળી ગઇ હોવાના સમાચાર છે. આઠ વર્ષ અગાઉ મોહસિન અખ્તર મીર સાથે ઘરસંસાર માંડનાર ઊર્મિલા માતોંડકરે હવે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. રિપોર્ટ અનુસાર ઊર્મિલાએ ખૂબ વિચારણા કર્યા બાદ આ નિર્ણય કર્યો છે, પરંતુ છૂટાછેડાનું સાચું કારણ શું છે તે જાહેર કરાયું નથી. જોકે આ છૂટાછેડા બન્નેની સહમતીથી નથી થઇ રહ્યાં. અહેવાલો અનુસાર ઊર્મિલા હવે કામ પર ફોકસ કરીને ફિલ્મોમાં પરત આવવા માંગે છે. નોંધનીય છે કે માત્ર સ્વજનોની હાજરીમાં બન્ન લગ્નબંધને બંધાયા હતાં. આ લગ્ન પર ભારે ચર્ચાઓ પણ ચાલી હતી કેમ કે મોહસિન ઊર્મિલા કરતાં 10 વર્ષ નાનો છે. પાછલા ઘણા સમયથી બન્ને જાહેરમાં ભાગ્યે જ જોવા મળતા હતા. ઊર્મિલાએ સોશિયલ મીડિયા પર પોતાના પતિને અનફોલો પણ કરી દીધો છે. અહેવાલો અનુસાર ઊર્મિલાએ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી ફાઇલ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter