સલમાનને દ્વારકા આવવાનું આમંત્રણ આપતા શંકરાચાર્ય

Saturday 27th July 2024 06:10 EDT
 
 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં દેશવિદેશની ખ્યાતનામ હસ્તીઓથી માંડીને વરિષ્ઠ ધર્મગુરુઓ-સંતો-મહંતોએ પણ હાજરી આપી હતી. આમાં જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્રાનંદ અને દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીનો પણ સમાવેશ થાય છે. આમ તો લગ્નપ્રસંગના અનેક વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે, પણ તેમાં શંકરાચાર્યજીનો સલમાન ખાન સાથેનો એક વીડિયો બહુ વાઇરલ થયો છે. જેમાં બોલિવૂડ એકટર સલમાન ખાન શંકરાચાર્યની સામે હાથ જોડીને ઊભો જોવા મળી રહ્યો છે. તેની બાજુમાં ઉભેલો પર્સનલ બોડીગાર્ડ શેરા પણ હાથ જોડીને પ્રણામ કરતો જોવા મળે છે. એક યુઝરે X પર શેર કરેલા આ વીડિયોમાં શંકરાચાર્યજીનો ચહેરો તો દેખાતો નથી. પરંતુ તેમની વાતચીતના આધારે એવું લાગે છે કે તેઓ દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી હોવાની શક્યતા વધુ છે. વીડિયો પોસ્ટ કરનાર યુઝરે લખ્યું હતું, ‘સલમાન ખાન અંબાણીના લગ્નમાં ગુરુ શંકરાચાર્ય સાથે વાત કરી રહ્યો છે.’   વીડિયોમાં તમે જોઈ શકો છો કે, શંકરાચાર્યજી સલમાન ખાનને દ્વારકા આવવાનું આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. તેના પર સલમાન કહે છે કે, ‘જી જરૂર... મારી બહેનો આવતી રહે છે.’ આ પછી સલમાને હાથ જોડીને શંકરાચાર્યજીને વંદન કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter