બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવતા કપૂર ખાનદાનના ઋષિ કપૂરે એક એક વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ગૌ હત્યા અને ગૌ માંસ પર રજૂ કરેલા પોતાના અંગત નિવેદનને કારણે સોશ્યિલ મીડિયા પર લોકોના ભારે વિરોધ સહન કરવો પડી રહ્યો છે. ઋષિ કપૂરે મહારાષ્ટ્રમાં ગૌ હત્યા પર મુકાયેલા પ્રતિબંધિત વિરોધમાં ટ્વીટ કર્યું હતું કે, ‘હું નારાજ છું. કોઈ શું ખાય છે તેને તેના ધર્મ સાથે કેમ જોડવામાં આવે છે. હું હિન્દુ છું અને બીફ ખાઉં છું. શું એમ કરવાથી હું ઓછો ધાર્મિક થઈ જાઉં છું? મને તો સુવરના માંસનું ચાપ પણ બહુ પસંદ છે.’ આ કબૂલાત બાદ સોશ્યિલ મીડિયા પર ઋષિ કપૂર સામે ફિટકાર વરસી રહ્યો છે. કેટલાંકે તો અસભ્ય ભાષામાં નારાજગી વ્યક્ત કરી છે.