‘સરફિરા’ કોરોનાની લપેટમાં

Tuesday 16th July 2024 09:50 EDT
 
 

લોકો ભલે કોરોના મહામારીને ભૂલી ગયા હોય, પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને લોકોને યાદ અપાવ્યું છે કે કોરોના હજુ ગયો નથી, આપણી વચ્ચે જ છે. ‘હૂ’ની આ ચેતવણીનો અનુભવ ‘મિ. ખિલાડી’ને થઇ ગયો છે. અભિનેતા અક્ષયકુમારને ફિલ્મ ‘સરફિરા’ના પ્રમોશન દરમિયાન કોરોના થઈ ગયો છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં જ તેઓ આઈસોલેટ થઇ ગયા છે. માત્ર અક્ષયકુમાર જ નહીં, પરંતુ ‘સરફિરા’ ફિલ્મની ટીમના કેટલાક અન્ય સભ્યો પણ કોરોનાની લપેટમાં આવી ગયા હોવાના અહેવાલ છે. ‘સરફિરા’ ફિલ્મના પ્રોડક્શન હાઉસના સૂત્રોએ ઉપરોક્ત જાણકારી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ‘સરફિરા’ના પ્રમોશન વખતે અક્ષયકુમારની તબિયત બગડવા લાગી હતી. આ સમયે જ તેમને તે વાતની ખબર પડી હતી કે પ્રમોશન ટીમના કેટલાક સભ્યો કોરોના પોઝિટિવ માલૂમ પડ્યા છે. તે જાણકારી મળ્યા પછી અક્ષયે પણ કોરોના ટેસ્ટ કરાવ્યો અને શુક્રવારે સવારે તેમનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના પોઝિટિવ આવતા અક્ષયકુમારે ના તો અનંત અંબાણીના લગ્નપ્રસંગે હાજરી આપી હતી અને હવે ના તો ફિલ્મનું પ્રમોશન કરશે. એક જવાબદાર વ્યક્તિ તરીકે અક્ષયે તરત જ પોતાની જાતને આઇસોલેટ કરી દીધી છે. ફિલ્મ ‘સરફિરા’ શુક્રવારે જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે, પણ પ્રારંભે તેને બહુ મોળો પ્રતિસાદ મળ્યાના અહેવાલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter