શિકાયત ભૂલથી પણ હું નથી કરતો...

આપણી કવિતાનો અમર વારસો...

- શૈયદ ‘રાઝ’ Wednesday 19th February 2025 06:17 EST
 
 

શિકાયત ભૂલથી પણ હું નથી કરતો...

શિકાયત ભૂલથી પણ હું નથી કરતો સિતમગરથી;
નથી હું આપતો ઉત્તર કદી પથ્થરનો પથ્થરથી.

ઉપેક્ષા પ્રેમની કરશો છતાંયે યાચના કરશું,
કિનારાઓ કદી આઘા થયા છે શું સમંદરથી?
 
હું એ વેધક નજરથી દિલ બચાવી એમ લાવ્યો છું,
કિનારે નાવ લાવે જેમ કો’ તોફાની સાગરથી.

જગતના સહુ તૃષાતુર દિલને જઈને એટલું કહી દો,
કોઈ તરસ્યો નહીં ફરશે અમારા સ્નેહ-સાગરથી.

પુરાણા મિત્રને તરછોડી દે છે વાતવાતોમાં,
કરે છે માનવી એવું નથી થાતું જે ઈશ્વરથી.

મુસાફર તો વિખુટા થાય છે કયારેક મંજિલથી,
એ મંજિલનું શું કહેવું જે વિખુટી થઈ મુસાફરથી.

ગરીબીમાંયે ખુદ્દારીએ બેશક લાજ રાખી છે,
છીએ દિલના તંવગર ‘રાઝ’ શી નિસ્બત તંવગરથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter