આસામની 600 વર્ષ પ્રાચીન ધરોહર હવે વર્લ્ડ હેરિટેજ

Wednesday 21st August 2024 05:34 EDT
 
 

આસામના ચરાઈદેવ જિલ્લામાં આવેલાં છ સદી પુરાણા મોઈદમ ‘ભારતનાં પિરામિડ’ તરીકે જાણીતાં છે. અહોમ રાજાઓનું આ સમાધિસ્થળ ‘અહોમ મોઈદમ’ કે ‘મૈદામ’ તરીકે પણ ઓળખાય છે. તાજેતરમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ થયેલી ટેકરા જેવી આ રચનામાં અહોમ શાસકોને તેમની પ્રિય વસ્તુઓ સાથે સમાધિ અપાતી હતી. ‘મોઈદમ’ અહોમ સામ્રાજ્યના તમામ રાજાઓ અને શાસકો માટે એક સન્માન તરીકે જોવામાં આવે છે. અહીં તાઈ-અહોમ સામ્રાજ્યના શાસકોને સમાધિ અપાતી હતી. તેથી ઐતિહાસિક દૃષ્ટિએ તેનું ઘણું મહત્ત્વ માનવામાં આવે છે. પૂર્વોત્તર ભારતમાં પ્રથમવાર કોઈ ધરોહરને યુનેસ્કો લિસ્ટમાં સ્થાન મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter