મેલ કરવત... લગ્ન, ૨૩ વર્ષ પછી છૂટાછેડા અને તેના ૨૩ વર્ષ પછી પુનર્લગ્ન

Tuesday 19th January 2016 07:54 EST
 

સ્કોટલેન્ડના એબર્ડીનમાં વસતા રોઝ અને ઇયાન એલીસને ૨૩ અંક સાથે ગજબનું તાદમ્ય છે. રોઝ અને ઇયાન એલીસે તા. ૩ જાન્યુઆરીના રોજ ફરીથી પ્રભુતામાં પગલા પાડ્યા હતા. અચરજ કહો કે યોગાનુયોગ, બન્ને જણાએ તેમના છૂટાછેડાના ૨૩ વર્ષ બાદ પુનર્લગ્ન કર્યા છે. હવે છુટાછેડાની વાત કરીએ તો તેમણે પોતાના પ્રથમ લગ્ન જીવનના ૨૩ વર્ષ બાદ છૂટાછેડા લીધા હતા. ૬૬ વર્ષના રોઝ અને ૭૧ વર્ષના ઇયાને જાન્યુઆરી ૧૯૬૮માં પ્રથમ લગ્ન કર્યા હતા અને ૧૯૯૧માં છુટાછેડા લીધા હતા.

છુટાછેડા બાદ બન્ને જણાએ મિત્રતા જાળવી રાખી હતી, પરંતુ ૨૦૧૩માં તેમણે ફરીથી રોમાન્સ કરવાનું શરૂ કર્યું હતું. ત્રણ સંતાનો ધરાવતા દંપત્તીનો સૌથી મોટો દિકરો પિતાનો ઇયાનનો અણવર બન્યો હતો. જ્યારે બીજા નંબરનો દિકરો સ્ટુર્ટ માતાના પક્ષે રહ્યો હતો. જ્યારે તેમના આઠ પ્રપૌત્ર-પ્રપૌત્રીઅો બ્રાઇડલ પાર્ટીમાં જોડાયા હતા.

૦૦૦


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter