વનરાજી વચ્ચે બિરાજમાન વિઘ્નહર્તા

Saturday 07th October 2023 07:16 EDT
 
 

આ તસવીર પર એક નજર ફેરવો તો તરત જ લાગશે કે જાણે વિઘ્નહર્તા આપણી સન્મુખ બેઠા છે. આ મનમોહક જગ્યા મધ્ય પ્રદેશમાં આવેલી છે. સતપુડાની વનરાજીઓ વચ્ચે ફેલાયેલા પંચમઢીના પશ્ચિમ વિસ્તારમાં એક પર્વત પર ભગવાન ગજાનનની આ મહાકૃતિ જોવા મળશે. 987 મીટર ઊંચા પર્વતને ‘ગણેશ પર્વત’ નામ આપવામાં આવ્યું કારણ કે તેનો આકાર ભગવાન ગણેશના ચહેરા જેવો છે. આ સ્થળને નિશાનગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાગદ્વારીના મેળામાં ભક્તો અહીં પૂજા કરે છે. પર્વતની આસપાસ મોટા ભાગે સાગનાં વૃક્ષો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter