અમદાવાદ: ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ થાય તે પહેલાં જ મુખ્યમંત્રી જેવા મહત્વના પદની માંગ ઉઠી છે. કોળી સમાજે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. કોળી સમાજની ડિમાન્ડને પગલે ભાજપ પ્રદેશ નેતાગીરીની ઉંઘ ઉડી છે. કેમ કે, અન્ય સમાજ પણ મંત્રીપદ માંગી શકે છે. આમ, અત્યારથી મંત્રીપદ મુદ્દે આંતરિક ડખા શરૂ થયા છે. કોળી સમાજે તો એવી આશા વ્યક્ત કરી છે કે, જો કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવામાં આવે તો ગુજરાતમાં ભાજપ વધુ મજબૂત બનશે. જુલાઇ માસના મધ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે.