એનઆરઆઈ દ્વારા ૧૧.૯૪ એકર જમીનનું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે દાન

Wednesday 05th December 2018 06:11 EST
 
 

વડોદરા: પાદરા તાલુકાના ચાણસદ ગામના વતની અને જર્મનામાં વસતા સવિતાબહેને અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પોતાની જમીન અર્પણ કરી હોવાના અહેવાલ છે. સવિતાબહેન પાસે ચાણસદમાં ૭૧ એકર પૈતૃક જમીન હતી. આ પૈકી ૧૧.૯૪ એકર જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આપી છે. રાજ્યમાં પ્રથમ વખત આ પ્રોજેક્ટ માટે કોઈએ જમીન દાન કરી છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રોજેક્ટમાં કપાત જમીન માટે કેટલાક ખેડૂતોએ આંદોલનના કાર્યક્રમ દ્વારા વિરોધ પણ કર્યો છે. જોકે સવિતાબહેન પટેલે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન અર્પણ કરી દીધી હતી. ૩૩ વર્ષ પહેલાં સવિતાબહેન લગ્ન કરીને જર્મની સેટ
થયા હતા. જર્મનીમાં સવિતાબહેન પટેલ ભારતીય રેસ્ટોરાં ચલાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter