આંતકીઓએ સિરિયામાં વરુણદેવનું મંદિર ફૂંકી માર્યું

Wednesday 26th August 2015 13:56 EDT
 

બૈરૂતઃ સિરીયાના પ્રાચીન શહેર પાલ્મિરામાં આઈએસઆઈએસના આતંકીઓએ વિશ્વનું અતિપ્રાચીન મંદિર નષ્ટ કર્યું છે. આઇએસના આ દાવા પછી વિશ્વના પુરાતત્ત્વવિદોને ૨૦૦૦ વર્ષ જુના રોમનકાલીન શહેરની ચિંતા સતાવી રહી છે. કારણ કે, ઉગ્રવાદીઓએ આ શહેરનો કબજો લઈને એક સ્થાનિક વિદ્વાનની હત્યા કરી હતી. પાલ્મિરાએ મધ્યપૂર્વના સૌથી વધુ મુલાકાતીઓનું પ્રિય રોમનકાલીન અને પ્રાચીન શહેર હતું. જે પુરાતત્ત્વની દૃષ્ટિએ તેમ જ ‘યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ’ મનાતું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter