ઉલ્ટો ચોર કોટવાળને દંડે, પાક.નો ભારત પર ત્રાસવાદ ફેલાવવાનો આરોપ

Thursday 07th May 2015 06:40 EDT
 

ઇસ્લામાબાદઃ ભારતમાં આતંકવાદ ફેલાવી રહેલ પાકિસ્તાને પ્રથમવાર જાહેરમાં ભારત પર આતંકવાદ ફેલાવવાનો આરોપ મુક્યો છે. રાવલપિંડી સૈન્ય વડા મથક ખાતે સેનાના કમાન્ડરોના સંમેલન બાદ જાહેર કરેલા નિવેદનમાં ભારત પર ઘણા ગંભીર આરોપ લગાવાયા છે. તેમાં કહેવાયું હતું કે ભારતીય જાસૂસી એજન્સી ‘રો’ પાકિસ્તાનમાં થઈ રહેલી આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે. પાકિસ્તાની સેનાના અધિકારીઓ ભારત પર આવા આરોપ લગાવતા રહ્યા છે પણ કમાન્ડરોની બેઠકમાં ચર્ચા બાદ આવેલા નિવેદનમાં આવો ઉલ્લેખ પ્રથમવાર થયો છે.

સેનાના નિવેદનમાં જણાવાયું હતું કે, સંમેલનમાં ગંભીરતાથી અનુભવાયું છે કે પાકિસ્તાનમાં થઈ રહેલી આતંકવાદી ગતિવિધિઓમાં રો સામેલ છે. તેમના અનુસાર તેમની પાસે આ અંગે દસ્તાવેજી પુરાવા પણ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter