પાકિસ્તાન સેના કરાચીને હસ્તગત કરશે

Wednesday 06th May 2015 07:54 EDT
 

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના પ્રમુખ એક એવાં અભિયાનનું નેતૃત્ત્વ કરી રહ્યા છે, જે પાકિસ્તાનમાં ફરીથી રાજકીય તખ્તો પલટી શકે છે. જોકે આ વખતે સંઘીય સરકાર સીધી સેનાનાં નિશાન પર નથી. આ અભિયાન પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચીને એક મજબૂત રાજકીય પક્ષના પ્રભાવમાંથી મુક્ત કરવા પર કેન્દ્રિત છે. પાકિસ્તાન સેના દ્વારા અત્યારના વર્ષોમાં કરવામાં આવેલી આ સૌથી મોટી સૈન્ય કાર્યવાહી હોઈ શકે છે.

આઈએસઆઈના પ્રમુખ અખ્તરના નજીકના સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ધીરે-ધીરે કરાચીને સેના હસ્તગત કરી લેશે, જે પરંપરાગતરૂપે આર્મીની સત્તા હેઠળનો વિસ્તાર ગણાશે. માનવામાં આવે છે કે, ગુપ્તચર સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહેલાં આ અભિયાનનો મુખ્ય ટાર્ગેટ આતંકવાદીઓ અને ગુનેગારો છે, જોકે કેટલાંક લોકો કહે છે કે, તેમનાં નિશાન પર મુતાહિદ-એ-કૌમી મૂવમેન્ટ(એમક્યૂએમ) જ રહેશે. આ અભિયાન અંગે પાકિસ્તાન સેનાના પ્રવક્તાએ કંઈ જ જણાવ્યું નથી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter