મુંબઈઃ ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવતાં દાઉદ ઈબ્રાહિમ અને આઈએસને ખતમ કરવા માટે ભારતીય ગુપ્તચર એજન્સી દ્વારા કેટલીક વખત અનઓફિશ્યલી કેટલાક લોકોની મદદ લેવામાં આવે છે. હાલમાં જ છોટા રાજને કોર્ટમાં જણાવ્યું હતું કે કેટલાંક ભારતીય અધિકારીઓએ તેને મોહનકુમાર નામનો પાસપોર્ટ અપાવવા માટે મદદ કરી હતી. છોટા રાજનના બે સાથીદારો સંતોષ શેટ્ટી અને રવિ પૂજારી પણ વખતોવખત પોલીસને એક યા બીજી રીતે આતંકવાદીઓ અને અંડરવર્લ્ડની માહિતી આપતા હતા.