કાશ્મીરમાં લશ્કરી છાવણી પર હુમલો

Wednesday 05th October 2016 08:45 EDT
 

નવી દિલ્હીઃ બારમુલ્લા નજીક જ આવેલી ૪૬ રાષ્ટ્રીય રાઇફલ્સની લશ્કરી છાવણી ખાતે રવિવારે રાતે સાડા દસના સુમારે આત્મઘાતી હુમલાખોરો ગોળીબાર કરીને બોમ્બ ઝીંકી રહ્યા હતા, જોકેે તેઓ છાવણીમાં ઘૂસવામાં સફળ નહોતા થયા. ભારતીય સૈન્યને બે ત્રાસવાદીઓને ઠાર મારવામાં સફળતા મળી હતી. બચેલા ત્રાસવાદી રાતના અંધારાનો લાભ લઈને ભાગી ગયા કે છુપાયેલા હતા તે જાણી શકાયું નહોતું. સમગ્ર વિસ્તારની નાકાબંધી કરીને બચેલા ત્રાસવાદીઓને શોધવા અભિયાન છેડાયું હતું તો પીઓકેમાં આવેલા આતંકી લોન્ચપેડ પર ભારતે રાતોરાત કરેલાં આક્રમણથી ધૂંધવાયેલાં પાકિસ્તાની દળોએ પહેલીએ કાશ્મીરના અખનૂર સેક્ટરમાં એલઓસી નજીકની ભારતીય ચોકીઓ અને નાગરિક વિસ્તારો પર ભારે મશીનગનોથી ગોળીબાર કર્યો હતો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter