ચીને જુલાઈ, ૨૦૧૬માં બે વખત અરુણાચલ સરહદે ઘૂસણખોરી કરી હતી

Saturday 20th August 2016 07:01 EDT
 
 

પાસીઘાટ: અરુણાચલની સરહદમાં ચીને ગયા વખતે બે વખત ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો એ વાતનો સ્વીકાર કેન્દ્રના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન કિરન રિજજૂએ સ્વીકારી હતી. તેમણે કહ્યું હતું કે સરકારને ઘૂસણખોરીનો અહેવાલ મળ્યો પછી તાકીદે તેની તપાસ કરવામાં આવી હતી.

રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન કિરન રિજજૂએ પાસીઘાટમાં એક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડનું ઉદઘાટન કરતી વખતે એક નિવેદનમાં ચીની સૈન્યની ગયા મહિનામાં ભારતીય સરહદે ઘૂસણખોરી થઈ હોવાના અહેવાલને ટાંકતા કહ્યું હતું કે ગયા મહિને ચીની સૈન્ય દ્વારા બે વખત ભારતીય સીમા રેખાનું ઉલ્લંઘન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter