મુંબઈઃ પાકિસ્તાનના આશ્રિત અંડરવર્લ્ડ ડોન દાઉદને કોઈ પણ ભોગે ભારત પાછો આણવા માટે કેન્દ્ર સરકારે ભીંસ વધારવા માંડી છે. એવા અહેવાલ વહેતા થયા છે કે ગુપ્તચર ખાતાના તથા રો (રિસર્ચ એન્ડ એનાલીસીસ ભંગ)ના એકદમ કાબેલ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે જે દાઉદની હિલચાલ પર ચાંપતી નજર રાખવા સજ્જ થઈ ગઈ છે. ગુટખાના વેપારમાં દાઉદની ભૂમિકા તપાસવા માટે પણ ચક્રો ગતિમાન કરાયા છે. બીજી તરફ એવું કહેવાય છે કે વધતી ભીંસને લીધે સતર્ક થઈ ગયેલો દાઉદ કરાચીને બદલે અજ્ઞાત સ્થળે ચાલ્યો ગયો હોવાની શક્યતા છે. ભૂતકાળમાં પણ જ્યારે દાઉદને પકડવા માટે ભીંસ વધી હતી ત્યારે તે પાકના સરહદી વિસ્તારમાં છુપાઇ ગયો હતો.