ચંડીગઢ: નવજોતસિંહ સિદ્ધુએ આખરે પંજાબની રાજનીતિમાં નવો મોરચો ખોલી દીધો. અરવિંદ કેજરીવાલને સૌથી વધુ ટાર્ગેટ કર્યા. જણાવ્યું કે કેજરીવાલ મારી પત્નીને પ્રધાન અને મને શો પીસ બનાવવા માગતા હતા. તેમને જી હજુરી ગમે છે અને તેમની દાનત ખોરી છે.
તેમનો 'નામ બડે ઓર દર્શન ખોટે' જેવો ઘાટ છે. આઠમીએ ઘોષણા સાથે તેમણે રાજ્યની અકાલી-ભાજપ સરકાર, કોંગ્રેસ અને આપ પર શાબ્દિક હુમલા કર્યા હતા. સિદ્ધુએ આવાઝ પંજાબ પાર્ટી ૧૧૭ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.