મુંબઈઃ મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળની તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં પ્રમુખપદે હેમરાજ શાહ (મુંબઈ), ઉપપ્રમુખપદ ભરતભાઈ શાહ (પૂના) સહિતના પદાધિકારીઓ અને કારોબારી સભ્યો બિન હરીફ ચૂંટાયા હતા. મહામંત્રી પદે જયપ્રકાશ પારેખ (નાગપુર), મંત્રી પદે નીતાબેન સુભાષ શેઠ (મ્હાડ) ને ખજાનચી પદે લખમશી શાહ (મુંબઈ) ચૂંટાયા છે.
સમિતિમાં ચૂંટાયેલા કારોબારી પદે સભ્યોમાં અનિલ મહેતા (ઔરંગાબાદ), અરૂણભાઈ શેઠ (સાંગલી), નાનજી ખીમજી (થાણાવાળા), લલિતકુમાર શાહ (લાતુર), બીપિનભાઈપટેલ (સોલાપુર), દિગ્વિજય કાપડીયા (નાસિક), નારણભાઈ પટેલ (શ્રીરામપુર), રાજેશ કાટકોરિયા (નાગપુર), સુરેશભાઈ વોરા (આકોલા), પ્રદીપ કાપડીયા (કોલ્હાપુર), બિપીનભાઈ નાગડા (ભીવંડી), કેતન નાગડા (નાંદેડ), શાલૈ મયુર (જલગાંવ), સંજીવ વાણી, ચીમન મોતા (મુંબઈ), વિજય જાની (આકોલા), હરિભાઈ શાહ (પૂણે), નરેશ પંડ્યા (લાતુર), ડો. મહેશ એફ. શાહ (સાંગલી) વગેરેનો સમાવેશ થાય છે.