લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે તેમના બે પ્રધાનો ગાયત્રીપ્રસાદ પ્રજાપતિ અને રાજકિશોર સિંહને સોમવારે બરતરફ કરી દીધા.
પહેલા ખનીજ પ્રધાન ગાયત્રીપ્રસાદ ગેરકાયદે ખનનના આરોપસર બરતરફ થયા અને તેના એક જ કલાકમાં જ પંચાયતીરાજ પ્રધાન રાજકિશોરને જમીન હડપવાના આરોપસર બરતરફ કરવાનો નિર્ણય લેવાયો.