રાયબરેલીઃ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બછરાવા રેલવે સ્ટેશન નજીક ૨૦ માર્ચના રોજ સવારે ૯-૧૦ વાગે દહેરાદૂન-વારાણસી જનતા એક્સપ્રેસનું એન્જિન અને એન્જિન પાછળના બે ડબા પાટા પરથી ખડી પડતાં ઓછામાં ઓછા ૩૮ લોકોના મોત થયા છે અને અન્ય ૧૫૦ લોકો ઘવાયા છે. ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની સંભાવના છે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ તપાસનો આદેશ આપ્યો છે. ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, રેલવે રાજ્ય પ્રધાન મનોજ સિંહાએ ઘટના સ્થળની મુલાકાત લઇને જરૂરી સૂચના આપી હતી.