નવીદિલ્હી: શ્રીશ્રી રવિશંકરની સંસ્થા આર્ટ ઓફ લિવિંગ દ્વારા કરાયેલા વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલને કારણે યમુના નદી અને તેની આજુબાજુની જમીનને ઘણું નુકસાન થયું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી) દ્વારા બનાવાયેલી એક કમિટીએ પોતાના રિપોર્ટમાં આ અંગેનો ખુલાસો કર્યો છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, માર્ચમાં યોજાયેલા વર્લ્ડ કલ્ચર ફેસ્ટિવલને કારણે યમુનાની આજુબાજુ માટીને ઘણું નુકસાન પહોંચ્યું છે અને જૈવ વિવિધતા અહીંથી હંમેશા માટે ગુમ થઈ ગઈ છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, સૌથી વધુ નુકસાન રવિશંકરે બનાવાયેલા વિશાળકાય સ્ટેજની જગ્યાને થયું છે.