નવીદિલ્હીઃ મહારાષ્ટ્રમાં યોજાતા દહીંહાંડી ઉત્સવમાં ૧૮ વર્ષથી ઓછી વયના ગોવિંદાઓને સામેલ ન કરવાનો અને દહીંહાંડી માટે બનાવવામાં આવતા માનવપિરામિડની ઊંચાઈ ૨૦ ફૂટથી વધારે ન રાખવાનો આદેશ સર્વોચ્ચ અદાલતે આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે ૧૭મી ઓગસ્ટે બોમ્બે હાઈ કોર્ટના માનવપિરામિડમાં સગીર વયનાં બાળકોને સામેલ ન કરવા જોઈએ એવા આદેશને બહાલ રાખ્યો હતો. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે, નાનાં બાળકોને આવા ઉત્સવમાં સામેલ કરવા જોખમકારક છે.