હિન્દુઓમાં પવિત્ર માનવામાં આવતી ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરૂઆત અખાત્રીજ, ૨૧ એપ્રિલથી શરૂ થશે. એ દિવસે સવારે ૧૧.૩૦ વાગ્યે યમનોત્રીના ગેટ ખુલશે અને ૧૨.૩૦ વાગ્યે ગંગોત્રીના ગેટ ખુલશે. કેદારનાથ મંદિરના કપાટ ૨૪ એપ્રિલે અને બદરીનાથધામના દ્વાર ૨૬ એપ્રિલે ખુલશે. જોકે ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં શિયાળામાં ભારે સ્નોફોલના કારણે કેદારનાથ અને બદરીનાથધામની યાત્રા બંધ રહેશે. આ બે તીર્થધામ ઊંચાઈ પર આવેલા છે અને ત્યાં શિયાળા દરમિયાન વધારે બરફ પડે છે તથા વાતાવરણ પ્રવાસીઓ માટે અનુકૂળ હોતું નથી.
ઉત્તરાખંડ સરકારે જણાવ્યું હતું કે આ વર્ષે યાત્રા સુરક્ષિત રહે એ માટે સુરક્ષિત ઉત્તરાખંડ અભિયાન શરૂ કરાયું છે. આ વખતે સુરક્ષાના બીજા ઘણાં ઉપાયો પણ હાથ ધરવામાં આવ્યા છે.