ઉત્તરાખંડમાં ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ 30 એપ્રિલે ખુલશે

Saturday 12th April 2025 08:50 EDT
 
 

દહેરાદૂનઃ ઉત્તરાખંડ ચારધામ યાત્રા શરૂ થતાં પહેલાં પોલીસ અને વહીવટી તંત્ર સહિત અન્ય વિભાગોની તૈયારી પુરજોશમાં ચાલે છે. કેદારનાથ-બદરીનાથ, ગંગોત્રી-યમુનોત્રી સહિત ચારેય ધામોના કપાટ ખોલવાની તારીખો પણ જાહેર થઈ ચૂકી છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ 30 એપ્રિલે ખુલશે જ્યારે કેદારનાથ ધામના કપાટ બીજી મેના રોજ અને બદરીનાથ ધામના કપાટ ચોથી મેના રોજ ખુલશે. શ્રી હેમકુંડ સાહિબના કપાટ 25 મેએ ખુલશે. યાત્રાળુઓએ ઓનલાઇન કે ઓફલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજિસ્ટ્રેશન વિના ચારધામ યાત્રા કરી શકશે નહીં. યાત્રાળુઓ વેબસાઇટ registrationandtouristcare.uk.gov.in અથવા તો touristcareuttarakhand મોબાઇલ એપ પર રજિસ્ટ્રેશન કરાવી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter