મૂર પાર્કના નિવાસીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન

Wednesday 09th October 2024 02:15 EDT
 
 

બે સ્થાનિક હીરો ડોન અને જૂડીમાંથી પ્રેરણા મેળવીને મૂર પાર્ક રેસિડેન્ટ્સ એસોસિયેશન દ્વારા કચરાના નિકાલ થકી બીજાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂર પાર્ક પ્રાઈવેટ એસ્ટેટના નિવાસીઓ અને MP58 બોર્ડના સભ્યો આ અભિયાનમાં સામેલ થયા હતા તેમજ વિસ્તારના માર્ગો અને કિનારાઓ પર મોટા પાયે ફેલાયેલા કચરાને એકત્ર કરી સફાઈની કામગીરી હાથ ધરી હતી. સફાઈ અભિયાનમાં લોકોએ સામુદાયિક ભાવનાને માણી હતી અને સાથે મળીને નાસ્તાપાણી કર્યા હતા. આ ઈવેન્ટ સફળતાપૂર્વક પાર પડે તે માટે જહેમત ઉઠાવનારા નિરુજાન તેમજ પોસ્ટ ઓફિસ અને સુપરમાર્કેટની તેમની ટીમનો આભાર માનવામાં આવ્યો હતો.

મૂર પાર્કના રહેવાસીઓમાં સુભાષભાઈ વી. ઠકરારનો પણ સમાવેશ થાય છે જેઓ એસ્ટેટનો વહીવટ કરતી કંપની મૂર પાર્ક 1958 લિમિટેડના ચેરમેન છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter