BAPS દ્વારા રાહત-સહાય-ચેરીટી કાર્ય

Wednesday 15th April 2020 04:30 EDT
 
 

લંડનઃ BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામી મહારાજ હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીની પ્રેરણાથી ભારત સહિતનાં વિશ્વભરનાં ૧૧૦૦થી વધુ BAPS સ્વામિનારાયણ મંદિરોમાં તથા ૪૦૦૦થી વધુ કેન્દ્રો દ્વારા અનેકવિધ રાહત-સહાય-ચેરીટીનાં કાર્યો થઈ રહ્યાં છે. સંતો અને સેંકડો સ્વયંસેવકો દ્વારા દરરોજ આરોગ્યપ્રદ તાજાં શાકભાજીનું વિતરણ જરૂરિયાતમંદોને થઈ રહ્યું છે.

BAPS દ્વારા ગુરુવારે પોલીસ, હેલ્થ અને સોશિયલ વર્કર્સને માસ્કનું વિતરણ કરાયું હતું. અનેક સ્થાનોએ સંતો જાતે રસોઈ કરે છે, પેકિંગ કરે છે અને જરૂરિયાતમંદોને ભોજન-પ્રસાદ તૈયાર કરી રહ્યાં છે. BAPSના અટલાદરા, કોલકાતા વગેરે મંદિરોથી રાશન-કીટનું પણ વિતરણ થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter