અનુપમ મિશન મંદિર મહોત્સવ

Tuesday 04th August 2015 13:57 EDT
 

અનુપમ મિશન, ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ, અક્ષબ્રિજ UB9 4NA ખાતે તા. ૫થી ૧૭ અોગસ્ટ દરમિયાન મંદિર મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બુધવાર તા. ૫-૮-૧૫થી બુધવાર તા. ૧૨-૮-૧૫ દરમિયાન રોજ બપોરે ૩થી સાંજના ૭ દરમિયાન પૂ. રમેશભાઇ અોઝાના મુખે શ્રીમદ ભાગવદ કથાનો લાભ મળશે. તે પછી તા. ૧૩-૮-૧૫ના રોજ રાત્રે ૮થી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ, શુક્રવાર તા. ૧૪ના રોજ સવારના ૧૦થી મહાત્મ્ય દર્શન સભા અને સાંજે ૭થી સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રેે ૯-૪૫ કલાકે આતશબાજીનો લાભ મળશે. તા. ૧૫ સવારે ૮-૩૦ કલાકે મહાયજ્ઞ તેમજ સાંજે ૪-૩૦થી ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી, શોભાયાત્રા અને કિર્તન સંધ્યાનો લાભ મળશે.

તા. ૧૬ રવિવારના રોજ સવારે ૭-૩૦થી મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા, સવારે ૧૦-૩૦થી પ.પૂ.સાહેબજીના અમૃત પર્વ પ્રસંગે સભા તેમજ બપોરે ૧૨-૩૦થી અન્નકૂટ દર્શન અને આરતીનો લાભ મળશે. તા. ૧૭ સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે પૂ. હિમ્મત સ્વામી ડાયમંડ જ્યુબીલી ઉત્સવ અને સમાપન સમારોહની ઉજવણી થશે. સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 07941 975 311.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter