એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વારા 25 હજાર પાઉન્ડનું દાન

Saturday 07th September 2024 06:50 EDT
 
 

એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પના ટ્રસ્ટીઓ દ્વારા તાજેતરમાં કિંગ્સબરી હાઇસ્કૂલ ખાતે યોજાયેલા હિન્દુ લાઇફસ્ટાઇલ સેમિનાર દરમિયાન સ્વામિનારાયણ ગુરુકુળ પરિવારને 25 હજાર પાઉન્ડનો ચેક અર્પણ કર્યો હતો. દાનની આ રકમનો એક હિસ્સો અમદાવાદના છારોડી સ્થિત એસજીવીપી ખાતે ચાલતી સદાવ્રત અન્નદાન યોજના માટે વપરાશે. ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત દરરોજ 500થી 600 નિરાધાર - નિરાશ્રિતોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવે છે. જ્યારે ભંડોળનો બાકી હિસ્સો બાળકોના શિક્ષણ માટે ઉપયોગમાં લેવાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter