લંડનના રિચમન્ડમાં કુમકુમ મંદિર દ્વારા વૃક્ષારોપણ કરાયું

Saturday 31st August 2024 06:28 EDT
 
 

લંડનઃ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ દ્વારા લંડનમાં આવેલા રિચમન્ડ પાર્ક ખાતે સત્સંગ સભા યોજાઇ હતી અને સાથે - સાથે જ વૃક્ષારોપણ પણ કરાયું હતું. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આ રિચમન્ડનું સ્થળ અતિ પાવનકારી છે કારણ કે ગુરુવર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને સદ્ગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના અસ્થિનું વિસર્જન આ રિચમન્ડની નદીમાં કરાયું છે. રિચમન્ડમાં સદ્ગુરૂ સ્વામી ત્રણ વખતથી વધુ વખત પધારેલા છે અને સત્સંગ સભા યોજી બધાને લાભ આપેલ છે. ભવિષ્યમાં આ સર્વ પ્રસંગોની સદાયને માટે સહુને યાદ તાજી રહે અને આ સ્થળે જે કોઈ આવીને દર્શન કરે તે મોક્ષમાર્ગે ચઢે તે માટે આ સ્થળે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ કુમકુમ-યુકે દ્વારા સંતો અને હરિભક્તો દ્વારા વૃક્ષારોપણ કરાયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter