સનાતન મંદિરે સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું

Sunday 25th August 2024 05:03 EDT
 
 

કાર્ડિફમાં આવેલા સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર ખાતે 15 ઓગસ્ટે ભારતના 78મા સ્વાતંત્ર્ય પર્વની ઉમંગ-ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે એલ્ડરલી ડે સેન્ટરના સભ્યો સ્કૂલ હોલિડેસ દરમિયાન તેઓ જેમની વ્હાલભરી સારસંભાળ લેતા હોય છે એવા તેમના લાડકવાયા ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે ઉપસ્થિત રહ્યા હતા. સહુ કોઇએ ભારતીય તિરંગાની ઝાંખી રજૂ કરતા વસ્ત્રો પહેર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રગીતના ગાન ઉપરાંત દેશભક્તિના ગીતો, પ્રાસંગિક પ્રવચનનું આયોજન થયું હતું બાદમાં સહુ કોઇએ લિજ્જતદાર ભોજન માણ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter