બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

એક જાણીતી કહેવત છે કે જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ. મતલબ કે જ્યાં સુધી જિંદગી છે ત્યાં સુધી આશાનો તંતુ અકબંધ છે. જોકે ભારતમાં વધતું પ્રદૂષણ જોતાં લાગે છે કે તે આમ આદમીની જિંદગીને નરક બનાવીને જ છોડશે. સુપ્રીમ કોર્ટથી માંડીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ...

૧૪ નવેમ્બરનો દિવસ ભારતમાં બાળ દિન તરીકે ઉજવાય છે, પણ આ દુનિયા આ દિવસ ડાયાબિટીસ ડે તરીકે મનાવે છે. વિશ્વભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે તે જોતાં તબીબી નિષ્ણાતો જોરશોરથી કહી રહ્યા છે હજુ પણ સમય છે ચેતી જાવ... જો આ રોગને ઉગતો...

ભારતીય રાજકારણમાં ગુનાહિત ચારિત્ર્ય ધરાવતા રાજનેતાઓનો મુદ્દો કેટલાય વર્ષોથી ચર્ચાતો રહ્યો છે, ને હજુ કોણ જાણે કેટલાય વર્ષો ચર્ચાતો જ રહેશે તેમ લાગતું હતું. તંદુરસ્ત લોકતંત્ર માટે આ વલણ જોખમી હોવા છતાં લોકોએ આ ગંભીર મુદ્દાને સહજતાથી સ્વીકારી...

૨૦૧૬માં પનામા પેપર લીક્સ અને હવે ૧૮ માસ બાદ પેરેડાઇઝ પેપર લીક્સ. કરચોરીના ઉદ્દેશથી વિદેશમાં કાળું નાણું છુપાવવાના કિસ્સા સાથે જોડાયેલી ૧.૩૪ કરોડ ફાઇલો જાહેર થતાં જ આર્થિક જગત હચમચી ગયું છે. આ ફાઇલોમાં જે નામોલ્લેખ છે તેમાં ભારતના નેતાઓ ઉપરાંત...

હાલ ભારતમાં વિપક્ષ અર્થતંત્રના મુદ્દે નિરાશાજનક ચિત્ર રજૂ કરવા પૂરજોશથી પ્રયત્નશીલ છે. રાજકીય આરોપ-પ્રત્યારોપના આ માહોલ વચ્ચે મોદી પ્રધાનમંડળે નાણાંકીય તંગી સામે ઝઝૂમી રહેલી બેન્કો માટે ૨.૧૧ લાખ કરોડ રૂપિયાનું જંગી આર્થિક પેકેજ જાહેર કરવાની...

ભારત સરકારે કાશ્મીર મુદ્દે એક અત્યંત સકારાત્મક જાહેરાત કરી છે. કાશ્મીરમાં શાંતિ સ્થાપવા ફરી એક વખત મંત્રણાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. સરકારે મંત્રણા માટે ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના પૂર્વ વડા દિનેશ્વર શર્માને પ્રતિનિધિ નિયુક્ત કર્યા છે.  શર્મા...

પહેલાં નોટબંધી અને હવે જીએસટી. ભાજપના નેતૃત્વ હેઠળ ભારતની શાસનધુરા સંભાળી રહેલી એનડીએ સરકાર પોતાના જ નિર્ણયમાં અટવાઇ રહી છે. નોટબંધીના વર્ષ પછી પણ તેના નફા-નુકસાનના આંકડામાં સહુ કોઇ ગૂંચવાઇ રહ્યા છે તો ગુડ્સ એન્ડ સર્વીસ ટેક્સ (જીએસટી) દેશમાં...

કાચિંડા અને અમેરિકા વચ્ચે એક વાતે બહુ સમાનતા છે - તે ક્યારે રંગ બદલશે તેનું અનુમાન કોઇ કરી શકે નહીં. ટ્રમ્પ સરકારે દેશની શાસનધૂરા સંભાળ્યા બાદ નીતિ-રીતિ અને નિવેદનોમાં છાશવારે ફેરબદલ કરતા રહેતા અમેરિકાએ ફરી એક વખત રંગ બદલ્યો છે.

ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયેલા અને કોર્ટના આદેશથી પદભ્રષ્ટ થયેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ ફરી પાછલા દરવાજેથી સત્તા હાંસલ કરવાના ચક્કરમાં છે. કાયદાએ તેમને વડા પ્રધાન પદેથી હટાવ્યા તો હવે તેમણે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ની...

ભારતના ચૂંટણી પંચે (ઇસી)એ સરકારને પત્ર પાઠવીને જણાવ્યું છે કે તે સપ્ટેમ્બર ૨૦૧૮ બાદ લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવા માટે તૈયાર છે. આ સાથે જ દેશમાં ફરી એક વખત સહિયારી ચૂંટણીઓ યોજવાના મુદ્દે ચર્ચા શરૂ થઇ છે. મોદી સરકારે દેશની...



to the free, weekly Gujarat Samachar email newsletter