બીબીસીની વિશ્વસનીયતા પર કુઠારાઘાત

બ્રિટિશ સમાજમાં બીબીસી વિશેષ અને સૌથી પ્રતિષ્ઠિત સ્થાન ધરાવે છે. એક સમયે એમ કહેવાતું હતું કે આ તો બીબીસી (BBC)માં આવ્યું કે છપાયું છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠાવાતો નહિ કારણકે બીબીસી એટલે સચ્ચાઈનું પ્રતીક. આજે આમ રહ્યું નથી. સીનિયર પત્રકાર માર્ટિન...

પેલેસ્ટાઈન -ઈઝરાયેલે ‘શાંતિ’ને ટકાઉ બનાવવી પડશે

ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે ૧૧ દિવસના લોહિયાળ યુદ્ધ પછી સ્થપાયેલા વિરામની શાંતિના પગલે પેલેસ્ટાઈનવાસીઓ ઉજવણી કરી રહ્યા હોય પરંતુ, પશ્ન એ છે કે આ શાંતિ ટકાઉ હશે? ઈઝરાયેલી ડિફેન્સ મિનિસ્ટર બેની ગાન્ટ્ઝે ચેતવણી આપી જ છે કે જ્યાં સુધી...

ભારતમાં કેન્દ્રીય ચૂંટણી પંચના સલાહસૂચનથી જ જો રાજકીય પક્ષો કે નેતાઓની નીતિરીતિ, વાણીવર્તન સુધરી જતાં હોત તો અત્યાર સુધીમાં દેશમાં રામરાજ આવી ગયું હોત તેમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ચૂંટણી પ્રચાર હોય કે ન હોય, નેતાઓ એક યા બીજા પ્રકારે...

ભારતના ઉત્તરીય રાજ્યોમાં ઉષ્ણતામાનનો પારો ભલે સડસડાટ ગગડી રહ્યો હોય, પરંતુ આ ક્ષેત્રમાં આવેલા દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં રાજકીય ગરમીનો પારો ઊંચો ચઢી રહ્યો છે. જેમ જેમ વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય તડજોડ વધી...

વિશ્વની એકમાત્ર મહાસત્તા અમેરિકાનું પ્રમુખપદ સંભાળતા જ ડોનાલ્ડ ટ્રમ્પ કામે વળગ્યા છે. ચૂંટણી પ્રચાર વેળા તેઓ જાતભાતના નિવેદનો દ્વારા અખબારોમાં છવાયેલા રહેતા હતા, હવે તેઓ ચૂંટણી વચનોનું પાલન કરીને સમાચારોમાં ચમકી રહ્યા છે. પ્રમુખપદે બેસતાં જ...

જમ્મુ અને કાશ્મીર વિધાનસભાએ ગૃહમાં સર્વસંમતિથી એક પ્રસ્તાવ પસાર કરીને કાશ્મીરી પંડિતોને ઘરવાપસી માટે અપીલ કરી છે. કાશ્મીરી પ્રજાનું પ્રતિનિધિત્વ કરતા શાસક અને વિપક્ષના સભ્યોએ વિધાનસભા ગૃહમાં એક અવાજે (એક અપક્ષને બાદ કરતાં) કાશ્મીરી હિન્દુઓના...

ભારતના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ફરી સમાચારમાં છે. માત્ર એક ટ્વીટ વાંચીને લોકોની નાની-મોટી સમસ્યા દૂર કરી દેતાં સુષમા સ્વરાજે આ વખતે સંકુચિત વિચારસરણી ધરાવતા લોકોને ઝાટક્યા છે. હિન્દુ જાગરણ સંઘે ટ્વીટ કર્યું હતું કે મોદીજી, આપના સુષમા સ્વરાજ...

ગુજરાત ફરી એક વખત રાષ્ટ્રીય સ્તરે વાઇબ્રન્ટ બનીને ઉભર્યું છે. આઠમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં વિક્રમજનક સંખ્યામાં ૨૫,૫૦૦થી વધુ મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડીંગ (એમઓયુ) થયા છે. વિવિધ પક્ષકારો વચ્ચે આ સમજૂતી કરારો અમલી બન્યે રાજ્યમાં...

ભારતે ૫૦૦૦ કિલોમીટરની રેન્જ ધરાવતા ‘અગ્નિ-૫’ મિસાઇલનું સફળ પરીક્ષણ કરતાં ચીનના પેટમાં ઊકળતું તેલ રેડાયું છે. અને તેમાં કંઇ આશ્ચર્યજનક પણ નથી, આથી ઉલ્ટું આમ ન થયું હોત તો અવશ્ય ભારતને નવાઇ લાગી હોત. સમગ્ર એશિયા તેમજ અડધોઅડધ યુરોપને આવરી લેતાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બેંગ્લૂરુમાં ૧૪મા પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) સંમેલનને સંબોધતા અમારે પાસપોર્ટ નહીં, લોહીનો સંબંધ જોઇએ છીએ તેમ કહીને વિદેશવાસી ભારતીયો સાથેનો નાતો વધુ મજબૂત બનાવવા પ્રયાસ કર્યો હતો.

વિદાય લઇ રહેલા વર્ષના છેલ્લા સપ્તાહમાં અને નૂતન વર્ષના પહેલા સપ્તાહમાં ભારતે મિસાઇલ ટેક્નોલોજી ક્ષેત્રે બે સિમાચિહન સર કર્યા. વર્ષના આરંભે સોમવારે ૪૦૦૦ કિલોમીટરના અંતરે જઇને ત્રાટકવાની ક્ષમતા ધરાવતી અગ્નિ-૪નું સફળ પરીક્ષણ કર્યું તો આગલા સપ્તાહે...

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર મોટો અને વ્યક્તિગત આક્ષેપ કર્યો છે કે ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકેના શાસનકાળ દરમિયાન સહારા અને બિરલા ઔદ્યોગિક જૂથે તેમને ૫૫ કરોડ રૂપિયા આપ્યા છે. કોંગ્રેસના યુવરાજે આ આક્ષેપો વડા પ્રધાનની...



to the free, weekly Gujarat Samachar email newsletter